Thursday 2 December 2021

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

write an essay on uttarayan)



ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ  તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર ૧૪મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. ઉત્તરાયણ પતંગ નો તહેવાર છે. આ દિવસની ઉજવણી  માટે અગાઉથી આ તહેવારના ચાહકો પતંગ અને દોરા ની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડી ના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે જેથી પતંગબાજો ના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે



ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે આકાશ ખૂબ જ સરસ અને રંગબેરંગી લાગે છે. પતંગ ચગાવનાર એક પ્રકારના હરીફ હોય છે.તેઓ એકબીજાના પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચીકી તેમ જ સીંગ ની ચીકી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળી ની બને છે. લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિ તરીકે ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકર સંક્રાંતિ એક લણણીનો તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે આમ ઉતરાયણ એક અનોખો તહેવાર છે જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે.



ઉતરાયણ વિશે વધુ માહિતી આ મુજબ છે.ઉત્તરાયણ જ એકમાત્ર હિન્દુઓનો તહેવાર છે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં મકરસંક્રાંતિ યાત્રાના સમયને દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં તે કુંભમેળાની શરૂઆત છે જ્યારે કેરાલામાં તે  શબિરલાલાનો અંત છે. નેપાળમાં મકરસંક્રાંતિ ખૂબ લોકપ્રિય છે. બિક્રમ સંવત (નેપાળી  કેલેન્ડર) મુજબ તે 1 લી માધ પર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ રાશિ ધનુ રાશી માંથી મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ સૂચવે છે.



બીજા ગુજરાતી નિબંધ પણ વાચો.

નવરાત્રિ

દશેરા ( વિજયાદશમી)

No comments:

Post a Comment